Cruise will start in Riverfront: રિવરફ્રન્ટના મુલાકાતીઓ સારા સમાચાર સામે આવ્યા છે. એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં ક્રુઝ શરુ થશે. લોકો આ ક્રુઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. ક્રુઝના વિવિધ ભાગો ત્રણ મહિનામાં એસેમ્બલ કરવામાં આવશે.
સુવિધાની વાત કરીએ તો ક્રૂઝમાં એક રેસ્ટોરન્ટ હશે જેમાંથી રિવરફ્રન્ટના અદભૂત નજારાનો આનંદ માણી શકશે. જણાવી દઈએ કે ક્રુઝમાં સવાર થવા માટે ભોજનનો ઓર્ડર આપવો ફરજિયાત રહેશે. આ ક્રૂઝ દિવસભર ચાલુ રહેશે. મુલાકાતીઓ અહીં મ્યુઝિકલ થીમનો પણ લાભ લઈ શકે છે. ક્રુઝમાં એક સાથે 125-150 લોકો બેસી શકે છે. જો કે હજુ લોકોએ આ માટે કેટલી રકમ ચૂકવવી પડશે તેને લઈને કોઈ જાણકારી નથી. આ ક્રુઝમાં ઓછામાં ઓછા 30-45 લોકો આરામથી બેસી શકશે.
આ ક્રૂઝ ગાંધી બ્રિજ અને રિવરફ્રન્ટ પરના સરદાર બ્રિજ વચ્ચે ચાલશે. લોકો પરિવારના સભ્યો સાથે કાંતો મિત્રો સાથે અહીં આવી શકે છે. આ ક્રુઝ PPP ધોરણે વિકસાવવામાં આવશે. જેમાં કંપનીએ લોકોને દર મહિને ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા આપવા સાથે SRFDCLને ભાડું ચૂકવવાનું હોય છે.
આ પણ વાંચો: Ahmedabad/સ્પર્શ મહોત્સવમાં વિજય રત્નસુંદરસુરીશ્વરજીના 400માં પુસ્તકનું થશે વિમોચન
આ પણ વાંચો: Bollywood Masala/આદિલને લઈને રાખી સાવંતને સતાવી રહ્યો છે આ ડર, કહ્યું- તેણે હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા તેથી…
આ પણ વાંચો: Business/અશ્નીર ગ્રોવરે આપી અદ્ભુત ઓફર… ‘થર્ડ યુનિકોર્ન’માં 5 વર્ષ કામ કરશો તો મળશે મર્સિડીઝ કાર