વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સમાજ નિર્માણના દઢ સંકલ્પ સાથે વૈષ્ણોદેવી નજીક 100 વિધામાં 1 હજાર કરોડના ખર્ચે જાયન્ટ મંદિર બનાવામાં આવશે. ઉમિયામાના દિવ્યરથનુ પ્રસ્થાન પહેલા નોરતાથી ઉંઝા ધામથી કરવામાં આવશે. આ રથ ઉતર ગુજરાત, સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત એમ ભારતભરમાં પરિભ્રમણ કરશે. સાથે જ વ્યસન મુક્તિ અને બેટી બચાવો બેટી પઢાવોના સંદેશાનો સમાવેશ કરવામાં આવશે.
સ્વસ્થ અને શિક્ષિત સમાજ થકી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા માટે માં ઉમિયાના દિવ્યરથનું અમદાવાદથી પ્રસ્થાન થશે અને સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ થશે. આ યાત્રા ઉમિયા માતાજી મંદિર, ઊંઝાથી તા. 10/10/2018 ના રોજ સવારે 8 કલાકે દિવ્યરથમાં માં ઉમિયાની મૂર્તિનું સ્થાપન સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી કરી સવારે 11 કલાકે અમદવાદ આવવા પ્રસ્થાન કરાશે. જ્યાં રસ્તામાં ઉનાવા મુકામે દિવ્યરથનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી બપોરે 2 કલાકે મહેસાણા પહોંચશે, જ્યાં રથનો સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
તા. 15/10/2018 સોમવારે સવારે 9 કલાકે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદથી ચેનપુર, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદલોડિયા, ગોતા,સાયન્સ સિટી-સોલા, ભાડજ, થલતેજ આંબલી, ઘુમા, બોપલ, બોડકદેવ, જોધપુર, પ્રહલાદનગર, વેજલપુર, વાસણા, વાડજ-નવા વાડજ, ઉસ્માનપુરા,સાબરમતી, ડી-કેબીન, મોટેરા, ન્યુ સી.જી. રોડ, વગેરે વિસ્તારમાં આ દિવ્યરથ પરિભ્રમણ કરશે, ત્યારબાદ પૂર્વ વિસ્તારમાં પ્રસ્થાન કરશે. અમદાવાદથી ઉત્તર ગુજરાત થઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં ફરી, ભારતભરમાં આ દિવ્યરથ પરિભ્રમણ કરશે.