ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સિરીઝની પહેલી મેચ શનિવારે રાંચી ખાતે રમાશે. આ મેચનો પ્રારંભ સાંજે ૭.૦૦ વાગ્યાથી થશે. છેલ્લા બે ત્રણ દિવસથી રાંચીમાં ભારે વરસાદનું વાતાવરણ જોતા આ મેચમાં વરસાદનું વિઘ્ન સર્જાઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સિરીઝમાં મળેલી ૪-૦ ની સફળતા બાદ ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરપુર જણાઈ રહી છે ત્યારે આ સિરીઝમાં પણ તેઓ સિરીઝ જીતવાના ઈરાદાથી મેદાને ઉતરશે, જ્યારે વન-ડે સિરીઝમાં હાર બાદ નિરાશામાં માંથી પસાર થઇ રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને અણધાર્યો આંચકો આપી શકે તેમ છે.
ટી-૨૦ સિરીઝમાં દર્શકોને ખરાખરીનો જંગ જોવા મળી શકે છે. હાલ ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની જેવા સ્ટાર બેટ્સમેન છે જયારે ઓસ્ટ્રેલિયન ટીમમાં ઓપનર ડેવિડ વોર્નર, કેપ્ટન સ્ટીવન સ્મિથ, હેડ, હેનરિક્સ, ક્રિશ્ચીયન અને પૈન જેવા સ્ટાર પ્લેયર્સ છે.