ગુજરાત/ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, ખેતઉત્પાદનનાં પૂરતાં ભાવ પણ મળતા નથી

ગુજરાતમાં રાસાયણિ ખાતર–ડિઝલ અને જંતુનાશક દવાનાં ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

Gujarat Others
Untitled 103 ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, ખેતઉત્પાદનનાં પૂરતાં ભાવ પણ મળતા નથી

ગુજરાતમાં રાસાયણિ ખાતર–ડિઝલ અને જંતુનાશક દવાનાં ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કૃષિપ્રધાન ગુજરાતમાં રાસાયણિક ખાતરનાં ભાવમાં કરાયેલાં વધારાનાં પગલે ખેડૂતો માટે હાલ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. વિવિધ ખેડૂત સંગઠનોએ રાસાયણિક ખાતરમાં થયેલા ભાવવધારાનો વિરોધ કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત નાણાંપ્રધાન–કૃષિ પ્રધાન અને મહેસૂલ પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

કોરોના વિસ્ફોટ: અમદાવાદમાં કોરોના બેકાબુ, સિવિલ હોસ્પિટલ આગળ એમ્બ્યુલન્સ ની લાંબી લાઈનો જુઓ વિડીયો

ભારત કૃષિપ્રધાન દેશ તો ગુજરાત કૃષિપ્રધાન રાજ્ય છે. દરમિયાન અન્નદાતા ખેડૂતોને જ તેમના ખેત ઉત્પાદનનાં પૂરતા ભાવ આજે મળતા નથી એટલું જ નહીં ખેતઉત્પાદન માટે ઉપયોગી રાસાયણિક ખાતરનાં ભાવમાં ધરખમ વધારો ઝીંકાતા આ અંગેની રજૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણી–નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ–કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સમક્ષ થઇ છે.

કોરોના વિસ્ફોટ: કોરોનાની ભયાનક સ્થિતિ, અંતિમ સંસ્કાર કરવા માટે પણ લાશોનું વેઇટિંગ

ગુજરાતનાં વિવિધ કિસાન સંગઠનોએ કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ રાસાયણિક ખાતર ઉપરાંત અન્ય પ્રશ્ને પણ ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. વર્ષ-2016 થી 2019 સુધી ફસલ વિમાનું વળતર ખેડૂતોને મળ્યું નથી. ખેત ઉત્પાદનના પૂરતાં ભાવ ખેડૂતોને મળતા નથી. આ ઉપરાંત ડિઝલ અને જંતુનાશક દવાના ભાવમાં પણ વધારો થતાં હવે ખેડૂતોની સ્થિતિ આર્થિક રીતે કથળી હોવાની રજાઆત કરવામાં આવી છે. આ સંદર્ભમાં ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળવા આર્થિક સહાય આપવા , પાકવીમાના નાણાં ચૂકવવા અને અન્ય રાજ્યોની જેમ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત ખેત ઉત્પાદનમાં અગ્રેસર છે , એટલું જ નહીં ખેડૂત અને ખેતીના હિતમાં અનેકવિધ યોજના અમલી પણ છે ત્યારે ખેડૂતોના આર્થિક લાભમાં હવે સરકાર ખેડૂતોની વ્યથાને વાચા આપશે એવો પ્રશ્ન પણ ખેડૂત જગતમાં ચર્ચાઇ રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ