ગોંડલ
ગોંડલના તુલસી બાગમાં પ્રેમમાં નાસીપાસ થયેલી શિવરાજગઢની સગીરાએ ઝેરી દવા પી મોતને વ્હાલું કરી લીધું. સગીરાને સ્યુસાઇડ નોટમાં પ્રેમી અને પ્રેમિકા પરિવારજનો દ્વારા માનસિક ત્રાસ આપવાનુ નિવેદન આપ્યુ છે. પ્રેમી દ્વારા મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ તેમજ પ્રેમીના મિત્રો દ્વારા દુષ્કર્મ ગુજારાયો હોવાનું જણાવ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી સાગર મકવાણા અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો. સગીરાની ઉંમર નાની હોવાના લીધે લગ્ન ન થઈ શકતા આખરે બંને પરિવારોની સંમતિથી સગીરાને રાજકોટ સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે સાગરને જેલ હવાલે થવા પામ્યો હતો. બાદમાં સમજૂતીના કરાર બાદ સગીરાએ પોતાના ઘરે પહોંચી હતી અને યુવાન પણ જેલમાંથી છુટવા પામ્યો હતો.