વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની કોરોનાવાયરસને કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ સામે ભારતે વાંધો ઉઠાવ્યા બાદ ફાટી નીકળેલા વિવાદ વચ્ચે WHOના વડા ગુજરાતની મુલાકાતે આવવાના છે. ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ સોમવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. ઘેબ્રેયસસ 18 એપ્રિલે રાજકોટ પહોંચશે. આ પછી બીજા દિવસે તેઓ જામનગરમાં વડાપ્રધાન મોદીને મળશે. અહીં તેઓ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.
રાજકોટ કલેક્ટર મહેશ બાબુએ રવિવારે જણાવ્યું હતું કે GCTM પરંપરાગત દવાઓ માટે વિશ્વની પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક સ્ટોર હશે. તેમણે કહ્યું કે, ઘેબ્રેયસસ ગુરુવારે ગાંધીનગર જશે. અહીં આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં વડાપ્રધાન મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થવાનું છે.