રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા અથાગ પ્ર્યતનો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજયમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લખો ડોક્ટરો, નરસો, આરોગ્ય વકરો કોરોના વોરિયર બનીને પોતાની સેવા નિભાવી અને હજૂ પણ નિભાવતા જોવા મળી રહયા છે . ત્યારે જ એક એવો કિસ્સો સામે આવ્યો છે તે રાજકોટના આરોગ્ય કર્મચારી અસ્મિતાબેન કોલડીયાએ ઉત્તમ રીતે સાબિત કરી બતાવ્યું છે.
આ પણ વાંચો ;ગુજરાત / સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આ કારણોસર 13 થી 17 ડિસેમ્બર સુધી મંદિર બંધ રહેશે
ત્યારે રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીડા સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયા કોરોનાવિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલાં છે. તેમને સંતાનમાં 6 મહિનાની દીકરી છે, જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે. પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામેગામ કોરોનાવિરોધી રસી મૂકવા જાય છે.
આ પણ વાંચો ;ટ્રાફિકની સમસ્યા / થાનગઢમાં ઓવર બ્રીજના ગોકળ ગતિએ ચાલતા કામથી મેઇન ફાટકે ટ્રાફિકની સમસ્યા વધી
તેઓ ગામડા માં જઈને ત્યની મહિલાઓને સમજાવીને રસી માટે તૈયાર કરે છે ત્યારે તેમની કામપ્ર્ત્યે ની લાગણી આપણે જોઈ શકીએછીએવૃદ્ધા કોરોનાવિરોધી રસી લેવા માટે સંમત જ નહોતા થતા. લોધિડાના આરોગ્યકર્મચારીઓએ છ વાર તેમના ઘરે જઇને રસી લેવા માટે વૃદ્ધાને સમજાવવાની કોશિશ કરી. અંતે. સાતમી વખતની બ્લોક હેલ્થ ઓફિસર ડો.એમ.એસ. અલીની સમજાવટ રંગ લાવી અને માજી રસી મુકાવવા તૈયાર થયાં.