Not Set/ મોટા ભાઈના પ્રેમપ્રકરણના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈનો ગયો જીવ

મેરે ભાઈ કો કયું મારા ? પૂછનાર યુવાનને તમાચો અને ઢીકમુક્કીનો માર મારી ધક્કો મારી હત્યા કરનાર લીંબાયતના ચારની ધરપકડ

Gujarat Surat
A 156 મોટા ભાઈના પ્રેમપ્રકરણના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈનો ગયો જીવ

ગુજરાતમાં હત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં પિતરાઈ ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ આમલેટ ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લીંબાયત ક્રિષ્નાનગર વિભાગ 1 સાળી સમાજની વાડી પાસે ગલી નં.1 ઘર નં.141 માં રહેતા 42 વર્ષીય મોહનભાઇ લીમ્બાભાઇ ગીરાસે હમાલીકામ કરે છે. તેમના ભત્રીજા તુષાર ઉર્ફે સેન્ડીયોને જે યુવતી સાથે પ્રેમસંબંધ છે તે યુવતી સાથે જીતુ દિલીપ પાટીલ પણ પ્રેમસંબંધ ધરાવે છે.

A 157 મોટા ભાઈના પ્રેમપ્રકરણના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈનો ગયો જીવ

આ પણ વાંચો : જામનગરમાં ગુનાખોરી બેફામ, બે એટીએમ મશીનમાંથી લાખોની ચોરી

આ મામલે તુષાર ઉર્ફે સેન્ડીયો અને જીતુ વચ્ચે વિખવાદ ચાલતો હોય ગતરાત્રે 11.30 વાગ્યે લીંબાયત ક્રૃષ્ણકુંજ સોસાયટી ગલી નં.2 પ્લોટ નં.138 ની સામે તુષાર તેના મિત્રો સાથે ઉભેલો હતો ત્યારે જીતુ તેના મિત્રો સમાધાન ઉર્ફે દાદા, વિશાલ તથા આશુ સાથે બે બાઈક પર ત્યાં આવ્યો હતો. જીતુ અને તેના મિત્રોએ તુષારને તુને મેરે બાઇક કા પંચર ક્યું કીયા કહી ગાળાગાળી કરી જીતુએ તુષારને આજ તેરે કો ખતમ કર દેનેકા હૈ કહી ગાલ ઉપર એક તમાચો માર્યો હતો.

A 158 મોટા ભાઈના પ્રેમપ્રકરણના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈનો ગયો જીવ

ત્યાર બાદ વિશાલ અને આશુએ રાજેન્દ્રને પકડી રાખી જીતુ તેમજ સમાધાન ઉર્ફે દાદાએ તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો. બાદ જીતુએ તેને છાતીના ભાગે જોરથી ધક્કો મારી રોડ ઉપર ફેંકી દેતા રાજેન્દ્રનું મોત નિપજ્યું હતું. જીતુ અને વિશાલ ત્યાર બાદ ચપ્પુ કાઢી તુષારને મારી નાંખવાનો પ્રયાસ કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસે મૃતક રાજેન્દ્રના પિતા મોહનભાઇ ગીરાસેની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : કલોલમાં કોલેરા એ ઉથલો મારતા બે કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો

આ પણ વાંચો :રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, રાજય માં 15 જુલાઇથી ધો.12 વર્ગો શરુ કરાશે