Not Set/ પોતાના દીકરાનું મૃત્યુ થતા માતા સ્મશાનમાં જઈને કર્યું આવું.., ઘટના વાંચી લોકો પણ થયા સ્તબ્ધ

ગુજરાતી ભાષામાં કહેવત છે કે, માં તે માં અને બીજા બધા વગડાના વા અને જનની જોડ કોઈની સાથે ન તોલી શકાય, જે આજના યુગમાં પણ સાચું સાબિત થઇ ગયું છે.

Gujarat Others Trending
A 137 પોતાના દીકરાનું મૃત્યુ થતા માતા સ્મશાનમાં જઈને કર્યું આવું.., ઘટના વાંચી લોકો પણ થયા સ્તબ્ધ

ગુજરાતી ભાષામાં કહેવત છે કે, માં તે માં અને બીજા બધા વગડાના વા અને જનની જોડ કોઈની સાથે ન તોલી શકાય, જે આજના યુગમાં પણ સાચું સાબિત થઇ ગયું છે. હકીકતમાં જયારે માતા પોતાના દીકરા કે દીકરીનું મોત થાય છે, ત્યારે સૌથી વધુ દુઃખ માતાને જ થાય છે, જેને પુરવાર કરતી એક ઘટના સામે આવી છે.

આ કિસ્સો બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામનો છે, જ્યાં થોડાક દિવસ અગાઉ જુનીરોહ ગામનાં મંગુબેન ચૌહાણના હર્યાભર્યા પરિવારમાં બે પુત્રીઓ, બે પુત્રો પૈકી દીકરીઓ અને એક દીકરાના લગ્ન થઇ ગયાં છે. આ પરિવારનો સૌથી નાનો પુત્ર મહેશ પોતાની માતા પાસે રહેતો અને સારસંભાળ રાખતો હતો, પરંતુ થોડાક દિવસો અગાઉ જુનીરોહ નજીકથી પસાર થતાં રેલવે ટ્રેક નજીક મહેશનો મૃતદેહ મળી આવ્યો હતો. પુત્રની અણધારી વિદાય માતા માટે ખુબજ અસહ્ય સાબિત થઈ હતી અને ભાંગી પડ્યા હતા.

આ પણ વાંચો :સુરતમાં કોરોનાની વિકટ સ્થિતિ, 95 %લોકો પોતાના પરિવારજનોની નથી લઈ રહ્યા અસ્થિ, અંતે નાળામાં…

પોતાના વહાલસોયા પુત્રના મોતથી માતા શોકમગ્ન બની ગયા છે અને તેઓ હવે પોતાના પુત્રની યાદ આવતા તેઓ વારંવાર સ્મશાન દોડી જાય છે અને પુત્રને જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. સ્મશાનમાં જઈને તેઓ પુત્રની રાખ નજીક સૂઇ જાય છે.

બીજી તરફ આ તસ્વીર જોઇને લોકોના દિલ દ્રવી ઉઠે છે અને માતૃપ્રેમની આ વાસ્તવિકતાથી ગામના લોકોમાં પણ આંસુ આવી જાય છે.

આ પણ વાંચો :રસોડામાં સેનિટાઈઝર રાખવું પડ્યું ભારે, ગેસ પર પડતા મહિલા સળગતા થયું મોત

આ પણ વાંચો : વડોદરા સમરસ હોસ્પિટલમાં ઓક્સિજન લીક થતા થઇ બુમાબુમ, દર્દીઓને બીજા રૂમમાં કરાયા શિફ્ટ

kalmukho str 9 પોતાના દીકરાનું મૃત્યુ થતા માતા સ્મશાનમાં જઈને કર્યું આવું.., ઘટના વાંચી લોકો પણ થયા સ્તબ્ધ