અમદાવાદ: એક વર્ષ પહેલાં રાજ્ય સરકારે શિક્ષણ સુધારણા હેઠળ મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટ (Mission Schools of Excellence Project)ની ઘોષણા કરી હતી. આ યોજના અંતર્ગત જાહેર-ખાનગી ભાગીદારી મોડલ હેઠળ 50 જ્ઞાન શક્તિ (Gyan Shakti) નિવાસી શાળાઓ, 25 જ્ઞાન શક્તિ આદિજાતિ (Gyan Shakti Tribal) નિવાસી શાળાઓ અને 10 રક્ષા શક્તિ (Raksha Shakti) શાળાઓ સ્થાપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.
સરકાર દ્વારા જાહેરાત કરવામા આવેલ આ વિશેષ શાળાઓ ગરીબ પરિવારોના વર્ગ 6 થી 8 ના હોનહાર વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવાનો ઉદેશ્ય છે. જેના બાદ સરકારે હવે જ્ઞાન શક્તિ નિવાસી શાળાઓ અને જ્ઞાન શક્તિ આદિજાતિ નિવાસી શાળાઓની સંખ્યા ઘટાડીને કુલ 20 અને રક્ષા શક્તિ શાળાઓની સંખ્યા 5 કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યનો શિક્ષણ વિભાગ 25 શાળાઓમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. વિભાગને આ શાળાઓ સ્થાપવા માટે ખાનગી શાળાઓ પાસેથી લગભગ 300 અભિપ્રાયો પ્રાપ્ત થયા હતા.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વિભાગે ચકાસણી બાદ તેમાંથી 150 ની પસંદગી કરી અને યાદી ટૂંકી કરીને 75 કરી. સરકારે આખરે 20 અરજદારોની પસંદગી કરી છે. વિભાગ દરેક જ્ઞાન શક્તિ નિવાસી અને આદિજાતિ શાળામાં 300 વિદ્યાર્થીઓ અને દરેક રક્ષા શક્તિ નિવાસી શાળામાં 400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારા માટે 1188 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ નાના દેશોના સંસાધનો અને વ્યૂહાત્મક પાયાને નિયંત્રિત કરવાના ચીનના પ્રયાસો
આ પણ વાંચો : 2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ
આ પણ વાંચો : છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારમાંથી મળ્યા કાગડાઓના મૃતદેહો,નગરજનોમાં દુઃખની લાગણી