સ્ત્રી શિશુ હત્યાની એક આઘાતજનક ઘટનામાં પંજાબના ભટિંડામાં સામે આવી છે. એક નવજાત જોડિયા પૌત્રીની હત્યાના આરોપમાં એક મહિલા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.
યુવતીઓના જન્મ અંગે કથિત રીતે નારાજ મહિલા, જેની ઓળખ 65 વર્ષીય મલકીત કૌર તરીકે થઇ છે, તેઓએ પુત્રવધુએ જોડિયા પૌત્રીઓને જન્મ આપ્યા પછીના કેટલાક કલાકો પછી તેમનાં પુત્રની સહાયથી તે નવજાત જન્મેલી પૌત્રીઓને નદીમાં ફેકી દીધી હતી.
આપણ વાંચો : #જાતે_જણ્યાને_જાકારો_કેમ? : અમદાવાદમાંથી ફરી મળ્યું ત્યજાયેલું નવજાત શીશુંનું ભ્રૃણ
મલકીત કૌરની પુત્રવધુ અમનદીપ કૌરને 11 અને ત્રણ વર્ષની બે પુત્રી છે. પરંતુ પુત્ર લાલસામાં સુશિતક્ષીત અમનદીપને ફરી ગર્ભધાણ કરવાની ફરજ પડી. અમનદીપ કૌરે ભઠિંડાની એક ખાનગી હોસ્પિટલમાં જોડિયા બાળકીએને જન્મ આપ્યો હતો. અને વજન ઓછું હોવાથી તેઓને ઇન્ક્યુબેટરમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે, દાદી અને તેનો પુત્ર, 35 વર્ષિય બલજીંદરસિંઘ, છોકરીઓને લઈ ગયા અને નદીમાં ફેંકી દીધા હતી.
બાળકો હોસ્પિટલમાંથી ગુમ થયા પછી, પરિવારે દાવો કર્યો હતો કે, તેઓને કોઈ સંબંધિત સ્થળે લઈ જવામાં આવી છે અને બીજા દિવસે સવારે તેમને ત્યાંથી લાવવામાં આવશે. બીજા દિવસે હોસ્પિટલના અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા સ્ત્રી શિશુ હત્યાની સમગ્ર ઘૃણાસ્પદ ઘટના સામે આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે જેમાં બાળકોની દાદી અને પિતા બાળકીઓને લઈ જતા હતા.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇 https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.