ઉત્તર પ્રદેશના દૂધપાલન, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિકાસ મંત્રી સી.એચ. લક્ષ્મી નારાયણે કહ્યું છે કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં ગાયોને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવા માટે પોલીસની ઇમરજન્સી સેવા (ડાયલ 112) જેવી નવીન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા જઈ રહયા છે. આ સેવા શરૂ કરવા માટે 515 એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે. પત્રકારો સાથે વાત કરતા કેબિનેટ મંત્રીએ કહ્યું કે આ સેવા ખાસ કરીને મુખ્યમંત્રીની સૂચનાથી શરૂ કરવામાં આવી રહી છે અને દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ડોક્ટર અને વેટરનરી સ્ટાફના બે સભ્યો તૈનાત રહેશે.
તેમણે કહ્યું કે આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે અને તેના માટે લખનૌમાં કોલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે, જે પણ આ સેવા માટે ફોન કરશે, 15 થી 20 મિનિટમાં તેમના સુધી એમ્બ્યુલન્સ પહોંચી જશે અને આવતા મહિને આ સેવા શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ જણાવ્યું કે આ ઉપરાંત ગાયના જાતિ સુધારણા કાર્યક્રમ હેઠળ પશુપાલકોને ત્રણ વખત મફત વીર્યદાનની સુવિધા અને અત્યાધુનિક ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ ટેક્નોલોજી આપવામાં આવશે, જે ગાયના શત ટકા વીર્યદાનને સુનિશ્ચિત કરશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનૌમાં આયોજિત સામાજિક પ્રતિનિધિ સંમેલનમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ સહિત વિપક્ષો પર જોરદાર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન તેમણે અખિલેશ યાદવના જિન્નાના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો જિન્નાહનું સમર્થન કરે છે તેઓ તાલિબાનને સમર્થન કરે છે..