દેશની અડધી વસ્તી માટે આ સમાચાર રાહતરૂપ બની શકે છે. કારણ કે દેશમાં લખપતિ દીદી યોજના ચાલે છે. જે અંતર્ગત માત્ર મહિલાઓને વ્યાજ વગર 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ દેશમાં લગભગ 1 કરોડ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે. જણાવી દઈએ કે આ એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે. જે અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. જો કે, દેશની 50 ટકા મહિલાઓને હજુ પણ આ યોજના વિશે વધુ માહિતી નથી. આ દિવસોમાં પીએમ મોદી પણ જાહેર સભાઓમાં લખપતિ દીદી યોજના વિશે વાત કરી રહ્યા છે.
વગર વ્યાજે લોન મળે છે…
જણાવી દઈએ કે લખપતિ યોજના હેઠળ મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવે છે. તેમજ બિઝનેસ શરૂ કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. એટલું જ નહીં, લખપતિ દીદી સ્કીમ હેઠળ મહિલાઓને બિઝનેસ શરૂ કર્યા બાદ માર્કેટમાં કેવી રીતે પકડ મેળવવી તેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જણાવી દઈએ કે 18 થી 50 વર્ષની વયની કોઈપણ મહિલા લખપતિ દીદી યોજના હેઠળ અરજી કરી શકે છે. તમે પણ યોજનાનો લાભ લઈને તમારા સપનાને સાકાર કરી શકો છો.
18 વર્ષથી 50 વર્ષની મહિલાઓ લખપતિ દીદી યોજના માટે અરજી કરી શકે છે. આ માટે મહિલાઓએ નજીકના સ્વ-સહાય જૂથમાં જોડાવું જરૂરી છે. આ યોજના માટે અરજી કરવા માટે સંબંધિત મહિલા પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને આવકનો દાખલો હોવો જરૂરી છે. આ પછી તમારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. વેરિફિકેશન પછી તમારી લોન મંજૂર થાય છે. હવે જો તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો લખપતિ દીદી યોજનાથી તમારા સપના પૂરા થઈ શકે છે. યોજના વિશે વધુ માહિતી માટે, સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે.
આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી
આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…
આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:એપ્રિલ ! ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો