મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં સોમવારથી વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થયું છે. આ દરમિયાન વિધાનસભામાંથી અદભૂત તસવીર સામે આવી છે. NCP ધારાસભ્ય સરોજ બાબુલાલ આહિરે દ્વારા સ્થાપિત મહિલા સશક્તિકરણના ઉદાહરણની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. શિયાળુ સત્ર દરમિયાન ધારાસભ્ય સરોજ પોતાના બાળકને ખોળામાં લઈને વિધાનસભા પહોંચી હતી અને ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. કેટલાક નેતાઓ તેમને જોઈને ચોંકી ગયા હતા તો કેટલાકે તેમના વખાણ કરતા તેમને સલામ પણ કરી હતી.
વાસ્તવમાં ધારાસભ્ય સરોજ બાબુલાલ આહિરે ત્રણ મહિના પહેલા માતા બન્યા હતા. તેમણે 30 સપ્ટેમ્બરે એક બાળકને જન્મ આપ્યો હતો અને હવે તે બાળકીને લઈને વિધાનસભા પહોંચી હતી અને ગૃહની કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે નાગપુરમાં છેલ્લા 2.5 વર્ષથી કોરોનાને કારણે કોઈ સત્રનું આયોજન કરવામાં આવ્યું નથી. હું હવે માતા છું, પરંતુ હું મારા મતદારોના પ્રશ્નોના જવાબ આપવા માટે વિધાનસભામાં આવી છું.
કોણ છે મહિલા ધારાસભ્ય સરોજ
જણાવી દઈએ કે, સરોજ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભા માટે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. તેઓએ બે વર્ષ પછી ફેબ્રુઆરી 2021 માં કોરોના સમયગાળા દરમિયાન લગ્ન કર્યા. નાસિકના દેવલાલી મતવિસ્તારના ધારાસભ્ય સરોજે સમયસર ગૃહમાં પહોંચવા માટે તેમના પરિવાર સાથે 500 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સરહદ વિવાદ પર સીએમની પ્રતિક્રિયા
શિયાળુ સત્રમાં આંતર-રાજ્ય સરહદ વિવાદ પર ચર્ચા થઈ હતી, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સરહદ વિવાદ વિશે વાત કરતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું – અમારા કેન્દ્રીય ગૃહપ્રધાને આ બાબતે આંતર-રાજ્ય સરહદ વિવાદમાં મધ્યસ્થી કરી હતી. આ મુદ્દે કોઈપણ પ્રકારનું રાજકારણ ન થવું જોઈએ. જો આપણે બધા સરહદના રહેવાસીઓની સાથે એકજૂથ રહીએ તો સારું રહેશે.
Nagpur |NCP MLA Saroj Babulal Ahire arrives at Maharashtra Assembly with her newborn baby. She became a mother on Sept 30&is attending Winter Session today
Says,"For past 2.5 yrs no session was held in Nagpur due to COVID.I'm a mother now but I came to get answers for my voters" pic.twitter.com/rBzRdf9zO7
— ANI (@ANI) December 19, 2022
શિયાળુ સત્ર દરમિયાન દરેક જગ્યાએ પોલીસ ફોર્સ તૈનાત
જણાવી દઈએ કે શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે ઘણી કાળજી રાખવામાં આવી છે. સત્રને સુચારૂ રીતે ચલાવવા માટે 7 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યાં વિધાનસભાના બંને ગૃહ છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે જ સમયે, મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફંડવીસના નિવાસસ્થાન રામગીરી અને દેવગીરી પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:બે દિવસના ઘટાડા પછી સેન્સેક્સ 468 પોઇન્ટ ઉચકાયો, નિફ્ટી 151 પોઇન્ટ વધ્યો
આ પણ વાંચો:ગૂગલે ભારતીય યુઝર્સ માટે રજૂ કર્યા ખાસ ફીચર્સ, Google Payને લઈને કરી આ વાત
આ પણ વાંચો:ચીને કડક કોરોના નીતિ પર યુ-ટર્ન લીધો, હળવા લક્ષણોવાળા પણ નોકરીએ જઈ શકશે
