વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને તેમની સાથે યુક્રેનની સ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 8 હજાર ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વાયુસેનાને સૂચના આપી છે. ભારતીય વાયુસેનાના ઘણા સી-17 વિમાનો આજથી ઓપરેશન ગંગામાં તૈનાત કરવામાં આવશે. યુક્રેન પણ ભારત પાસેથી રાહત સામગ્રી લેશે.
આ પણ વાચો:શિક્ષકે સીએમ ગેહલોતને લોહીથી લખ્યો પત્ર, જૂની પેન્શન યોજના અંગે કહી આ વાત
આપને જણાવી દઈએ કે, યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચલાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, યુક્રેનમાં સમગ્ર સરકારી તંત્ર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 24 કલાક કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, ભારત પાડોશી અને વિકાસશીલ દેશોના જેઓ પૂર્વ યુરોપના યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે તેમની પણ મદદ કરશે.
24 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ યુક્રેનની એરસ્પેસ બંધ થવાને કારણે ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની તેની (યુક્રેનની) બોર્ડર પોસ્ટ દ્વારા ત્યાંથી તેના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ ભારતીયોને સુરક્ષિત અને સરળ રીતે બહાર કાઢવા માટે યુક્રેનના પડોશી દેશોમાં પહોંચવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને સંકલન કરવાની જવાબદારી સોંપી છે. આ અંતર્ગત કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પોલેન્ડમાં, કિરેન રિજિજુ સ્લોવાકિયામાં, હરદીપ પુરી હંગેરીમાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં સંકલન કરશે.
આ પણ વાચો:યુપીમાં છઠ્ઠા તબક્કાનો પ્રચારનો આજે અંતિમ દિવસ, ગોરખપુરમાં યોગી અને અખિલેશ યાદવની રેલી
આ પણ વાચો:મોડલની અશ્લીલ તસવીરો પોસ્ટ કરનાર મિકેનિકલ એન્જિનિયરની ધરપકડ,ગુગલમાં કરે છે કામ