ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં હાર બાદ પ્લેઈંગ 11માં ફેરફારને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ મેચમાં સંજુ સેમસનને પણ રમવાની તક મળી હતી. આપને જણાવી દઈએ કે આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. આ બંનેના સ્થાને પ્લેઈંગ 11માં સામેલ કરાયેલા સંજુ સેમસન અને અક્ષર પટેલે ખાસ કંઈ કર્યું નથી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સંજુ સેમસનને આગામી મેચમાં ફરીથી ડ્રોપ કરવામાં આવી શકે છે. બીજી વનડેમાં સંજુ સેમસને 19 બોલમાં માત્ર 9 રન બનાવ્યા હતા.
સેમસનની જગ્યાએ આ ખેલાડીને મળશે તક!
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી ODI મેચ 01 ઓગસ્ટે રમાશે. કોચ દ્રવિડ આ મેચમાં સંજુને પ્લેઇંગ 11માંથી બહાર કરી શકે છે. આવી સ્થિતિમાં તેની જગ્યાએ એવા ખેલાડીને તક મળી શકે છે, જેને આ પ્રવાસમાં પણ મેચમાં રમવાની તક મળી છે. અમે વાત કરી રહ્યા છીએ રુતુરાજ ગાયકવાડની. રુતુરાજ ગાયકવાડને લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં તક મળી નથી. આવી સ્થિતિમાં તેમના માટે આ એક અવસર બની શકે છે.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં લગભગ તમામ ખેલાડીઓને તક મળી છે, પરંતુ રુતુરાજની રાહ હજુ પણ ચાલુ છે. આ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી માટે રુતુરાજ ગાયકવાડની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ રોહિત શર્માએ તેને ટેસ્ટમાં પણ તક આપી ન હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા તેને વનડેમાં પણ તક આપે છે કે નહીં. તેને પ્લેઇંગ 11માં સામેલ કરવા માટે રોહિત શર્માએ ટીમમાંથી એક ખેલાડીને બહાર કરવો પડશે.
કેવી રહી બીજી વનડે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી ODIની વાત કરીએ તો આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ સારી રહી હતી, પરંતુ ઓપનરોની વિકેટ ગુમાવ્યા બાદ તેઓ 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝે આ ટોટલનો ખૂબ જ સરળતાથી પીછો કર્યો અને 36.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા.
આ પણ વાંચો:ZimAfroT10/ યુસુફ પઠાણની બેટિંગ જોઈને આખું પાકિસ્તાન રડશે, મોહમ્મદ આમિરની ધોલાઈ થઈ હતી; જુઓ વિડીયો
આ પણ વાંચો:odi series/ભારતે એકતરફી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું,કુલદીપ યાદવની મેજિકલ બોલિંગ
આ પણ વાંચો:World Cup 2023/BCCIના સચિવ જય શાહે ભારત-પાકિસ્તાન મેચની તારીખ સહિત વર્લ્ડકપના શેડ્યૂલ અંગે જાણો શું કહ્યું…