આપણા દેશમાં અવનવાર માર્ગ અકસ્માતમાં હજારો લોકોના મૃત્યુ થતા હશે. આ બાબત પાછળ એક જ કારણ જવાબદાર છે યોગ્ય સમયે સારવાર ન મળવી. પરંતુ તમને ખબર છે જેમાં તમે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર કરાય શકો છો. હાલમાં આ યોજના પંજાબ અને દિલ્હી રાજ્યમાં જ સીમીત છે. ફરીશ્તે યોજના હેઠળ કોઇ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા વાળાને પણ ભેટ રૂપે કેટલાક પૈસા આપવામાં આવે છે. આ યોજના એ વ્યક્તિઓ માટે છે જે માર્ગ અક્સ્માતમાં શિકાર બન્યા હોય છે.
ઘાયલોને મળે છે મફત સારવાર
ફરીશ્તે યોજના હેઠળ ઘટનાના 48 કલાક પછી પણ ઘાયલોને સારવાર આપવામાં આવે છે. આમ તો આખા દેશમાં સરકારી હોસ્પિટલમાં કોઇપણ ઘાયલને ફ્રિમાં સારવાર કરવામાં આવે છે. પરંતુ પંજાબ અને દિલ્હી માટે આ યોજના અલગથી સંચાલીત થાય છે. આ યોજના હેઠળ જે વ્યક્તિ ઘાયલને હોસ્પિટલમાં પહોંચાડે છે તેને આર્થીક રીતે મદદ કરવા માટે ભેટ રુપે પૈસા પણ આપવામાં આવે છે.
2000 ભેટ સ્વરુપે
આ યોજનાનો ઉદ્દેશ્ય તાત્કાલીક ઘાયલને સારવાર આપવાનો છે. કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ઘટાડો થાય. આપને જણાવી દઇએ કે જે વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ પહોંચાડશે તેને સરકાર દ્વારા પ્રકાશીત પ્રમાણપત્ર સાથે 2000 રુપિયાની ભેટ પણ આપવામાં આવશે.અને આ મહિતી પણ ગુપ્ત રાખવામાં આવશે. આ યોજના આ કારણોસર શરૂ કરવામાં આવી હતી કે સમયનો ઉપયોગ કરીને 10 થી 15 મિનીટમાં ઘાયલને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે. આ યોજના વિશે લોકોમાં જાગૃતતા આવે એ માટે જાગૃત અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો: કાપડ બજારો છૂટ છતાં 30 દિવસની લિમિટ મુજબ કામ કરશે
આ પણ વાંચો: આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવન
આ પણ વાંચો: શેરબજારમાં આજે સપ્તાહની શુભ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઉછાળો
આ પણ વાંચો: મે મહિનામાં કેટલા દિવસો બેંક બંધ રહેશે? તમારા કામ ફટાફટ પતાવી દો