ram mandir/ અયોધ્યામાં રામ મંદિરમાં જવા માટે ત્રણ ભવ્ય પથ બનાવવામાં આવશે, 300 કરોડ ખર્ચ થશે

અયોધ્યામાં રામ મંદિર સુધી પહોંચવા માટે વધુ ત્રણ ભવ્ય રસ્તા બનાવવામાં આવશે. આ રામ પથ, ભક્તિ અને ધર્મપથ તરીકે ઓળખાશે.

Top Stories India
Ram Mandir

  Ram Mandir  અયોધ્યામાં રામ મંદિર સુધી પહોંચવા માટે વધુ ત્રણ ભવ્ય રસ્તા બનાવવામાં આવશે. આ રામ પથ, ભક્તિ અને ધર્મપથ તરીકે ઓળખાશે. આ રૂટ બે થી આઠ કિમી લાંબા હશે. આ માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. અયોધ્યામાં રામલલાનું મંદિર આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થશે. અહીં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. સરકાર ત્યાં માળખાકીય સુવિધાઓ વધારી રહી છે જેથી આખું રામલલા શહેર તેના ભવ્ય સ્વરૂપમાં જોવા મળે.

આ અંતર્ગત અયોધ્યાની (Ram Mandir) અંદર મુખ્ય માર્ગથી શ્રી રામ મંદિર સુધી ત્રણ રસ્તા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ચેરિટેબલ વર્ક ડિપાર્ટમેન્ટ આ યોજના પર કામ કરતું હતું, પરંતુ હવે તે PWDને આપવામાં આવ્યું છે. આ રસ્તાઓ ફોરલેન હશે. આ દરેક પાથની પહોળાઈ ઓછામાં ઓછી 14 મીટર હોવી જોઈએ. અયોધ્યાની અંદર આટલો પહોળો રસ્તો બનાવવા માટે જમીન સંપાદન કરવી પડશે. આથી આ રસ્તાઓનો અંદાજીત ખર્ચ રૂ.300 કરોડ આંકવામાં આવ્યો છે.

સરકારના ઉચ્ચ સુત્રોના (Ram Mandir) જણાવ્યા મુજબ જમીન સંપાદનને કારણે મોંઘા ખર્ચને કારણે આ રસ્તાઓના નિર્માણ માટે કેબિનેટમાં દરખાસ્ત લાવવી પડશે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ રામ મંદિર 2024માં તૈયાર થઇ જશે ,હાલ રામ મંદિરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. 

ISRO/સૌથી નાનું રોકેટ લોન્ચ કરવાની તૈયારીમાં ISRO, PSLV હતું તો SSLV ની જરૂર કેમ પડી?

Political/શિવસેનાના આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને આપી આ મામલે ખુલ્લી ચુનોતી

NISAR Satellite/ISRO-NASA સંયુક્ત અવકાશ મિશન, NISAR ઉપગ્રહ લોન્ચ માટે ભારત આવશે

cold in America/અમેરિકામાં કાતિલ ઠંડી,માઉન્ટ વોશિંગ્ટનમાં તાપમાન -79 ડિગ્રી, જનજીવન પર અસર

આગ/વલસાડની ઉમરગામ જીઆઇડીસીની મેટલ ક્રાફટ કંપનીમાં લાગી ભીષણ આગ,ફાયર ટીમ ઘટનાસ્થળે