ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સિરીઝની બીજી મેચ મંગળવારે ગુહાવટીના એસીએ બાર્સાપારા સ્ટેડિયમ ખાતે રમાશે. ૩ મેચની સિરીઝમાં પહેલેથી જ ૧-૦ ની લીડ ધરાવતી ભારતીય ટીમ આ મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવાના ઈરાદાથી મેદાને ઉતરશે. ભારતની સ્પિન જોડી કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલે કાંગારુંઓની તમામ રણનીતિ પર રોક લગાવી દીધી છે જયારે ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચ જીતીને સીરીઝ સરભર કરવા મેદાને ઉતરશે.
મહત્વનું છે કે, ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ૧૪ ટી-૨૦ મેચમાંથી ૧૦ માં જીત મેળવી છે. જયારે ભારત ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ બાદ ઓસ્ટ્રેલિયાથી એક પણ ટી-૨૦ મેચ હાર્યું નથી.