New Delhi/ કોંગ્રેસની મુસીબત વધી, વિરોધ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે નોંધ્યો કેસ

દિલ્હી પોલીસે શુક્રવારે કોંગ્રેસને રાજધાનીમાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી, કારણ કે નવી દિલ્હી જિલ્લામાં પ્રતિબંધિત આદેશો અમલમાં છે. પોલીસે 300 થી વધુ દેખાવકારોની અટકાયત કરી હતી.

Top Stories India
દિલ્હી પોલીસે

કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં દિલ્હી પોલીસે તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. વિપક્ષ કોંગ્રેસે શુક્રવારના રોજ મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં વધારા સામે દેશવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું હતું.

ડીસીપી (નવી દિલ્હી) અમૃતા ગુગુલોથે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 186 (જાહેર સેવકને જાહેર કાર્યો નિભાવતા અટકાવવા), 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ આદેશનો અનાદર), 332 (જાહેર સેવકની અવહેલના) કલમ 34 (સામાન્ય હેતુ) હેઠળ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે કોંગ્રેસને વિરોધ કરવાની આપી ન હતી મંજૂરી

દિલ્હી પોલીસે શુક્રવારે નવી દિલ્હી જિલ્લામાં પ્રતિબંધિત આદેશોને ટાંકીને રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી. પોલીસે શુક્રવારે લ્યુટિયન્સ દિલ્હીમાંથી 65 સાંસદો સહિત 300 થી વધુ દેખાવકારોની અટકાયત કરી હતી.

કોંગ્રેસે 5 ઓગસ્ટના રોજ મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર GSTમાં વધારા સામે મોટા પાયે વિરોધ કરવાની યોજના બનાવી હતી. પ્રદર્શનના ભાગ રૂપે, કોંગ્રેસ રાષ્ટ્રપતિ ભવન અને વડા પ્રધાનના નિવાસસ્થાન સુધી ‘ઘેરાવો’ કૂચ કરશે.

અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહાસચિવ કે. સી. વેણુગોપાલને લખેલા પત્રમાં, તેમણે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 144 હેઠળ નવી દિલ્હી જિલ્લામાં પ્રતિબંધિત આદેશોને ટાંકીને વિરોધ પ્રદર્શન કરવાની પાર્ટીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી છે કે AAP તેના સમર્થકો સાથે શુક્રવારે ધરણા કરવા જઈ રહી છે. આ સંબંધમાં તમને જાણ કરવામાં આવે છે કે CrPCની કલમ 144 નવી દિલ્હી જિલ્લાના ‘જંતર-મંતર’ સિવાયના સમગ્ર વિસ્તારમાં લાગુ છે. સુરક્ષા/કાયદો અને વ્યવસ્થા/ટ્રાફિકના કારણો અને હાલની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, શુક્રવારે નવી દિલ્હી જિલ્લાના વિસ્તારમાં કોઈ વિરોધ/ધરણા/ઘેરોની પરવાનગી આપી શકાશે નહીં. તે જણાવે છે કે જો કોઈ નિર્દેશનું ઉલ્લંઘન થાય છે, તો તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો:મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની પત્ની ED સમક્ષ હાજર, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત

આ પણ વાંચો:શિક્ષિકાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર

આ પણ વાંચો:રામ મંદિર 2024 સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે, 40 ટકા બાંધકામ પૂર્ણ