Tunisha Sharma suicide case/ તુનિષાના બોયફ્રેન્ડે પોલીસ સમક્ષ બ્રેકઅપ અંગે કર્યો આ ખુલાસો,જાણો

અભિનેત્રી તુનિષાએ (Sheejan-Tunisha) અચાનક  આત્મહત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કેસ હાલ ટોક ઓફ ધ નેશન બન્યું છે

Top Stories Entertainment
Tunisha Sharma suicide case

Tunisha Sharma suicide case:   અભિનેત્રી તુનિષાએ (Sheejan-Tunisha) અચાનક  આત્મહત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કેસ હાલ ટોક ઓફ ધ નેશન બન્યું છે. તુનિષાએ માત્ર 20 વર્ષની નાની ઉંમરે ફાંસી લગાવીને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. તુનિષા તો ગઈ, પણ પાછળ ઘણા સવાલો છોડી ગઈ. હવે પોલીસ તુનિષાની આત્મહત્યા સાથે જોડાયેલા આ સવાલોના જવાબ શોધવામાં લાગેલી છે.તુનિષા શર્મા (Tunisha) આત્મહત્યા કેસમાં વસઈ પોલીસ ફુલ ઓન એક્શન મોડમાં છે. પોલીસ (POLICE) આ મામલાની તળિયે તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે દિવસે એવું શું બન્યું કે તુનીશાએ અચાનક જીવનનો અંત લાવવાનું આટલું કડક પગલું ભર્યું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં (Tunisha Sharma suicide case) ધરપકડ કરાયેલા શીઝાન ખાને પોતાના નિવેદનમાં પોલીસને મહત્વની માહિતી આપી છે. શીઝાન આપેલા પ્રારંભિક નિવેદનમાં, એવું બહાર આવ્યું છે કે બંને કલાકારો એકબીજા સાથે સંબંધમાં હતા, તે સાચું છે, પરંતુ તેમના ધર્મો અલગ હતા અને વયમાં મોટો તફાવત હતો. જેના કારણે તેમનું બ્રેકઅપ થયું હતું.પરંતુ પોલીસને શીઝાન આપેલા નિવેદન પર વિશ્વાસ કરી રહી નથી, કારણ કે તુનીષાના પરિવારે શીઝાન પર છેતરપિંડી કરવાનો અને એક જ સમયે ઘણી છોકરીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું માનવું છે કે આવી સ્થિતિમાં શીઝાન તેને ટાળવા માટે ઉંમર અને ધર્મનું બહાનું આપી રહ્યો છે.

15 દિવસમાં શીઝાન-તુનિષાના સંબંધો બગડી ગયા

પોલીસના જણાવ્યા અનુસાર તુનિષાની માતાએ ( MOTHER)પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે 6 મહિના પહેલા શીજાન સાથેના સંબંધોને લઈને તુનીષા ખૂબ જ ખુશ હતી. તેણે આ વાત તેમને પણ કહી હતી. પરંતુ 15 દિવસ પહેલા શીજને તેની સાથે બ્રેકઅપ કર્યા બાદ તે ખૂબ જ તણાવમાં હતી. તુનિષાની માતાએ તેની પુત્રીની(Tunisha Sharma suicide case) આત્મહત્યા માટે શીજાનને જવાબદાર ગણાવ્યો છે. તેણે શીઝાન પર તેની પુત્રી સાથે વિશ્વાસઘાત કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

તુનિષાની માતાની ફરિયાદ બાદ પોલીસે શીજાન વિરુદ્ધ FIR નોંધીને તેને કસ્ટડીમાં લીધો હતો. એફઆઈઆર કોપીમાંથી એવી જ માહિતી મળી હતી કે તુનીષા તેના કો-એક્ટર શીજાનને ડેટ કરી રહી હતી, પરંતુ 15 દિવસ પહેલા શીજાને તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું, જેના કારણે તે તણાવમાં હતી. શીજાન સાથે બ્રેકઅપ થવાથી નારાજ તુનિષાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.

શીઝાન પોલીસ કસ્ટડીમાં છે

શીઝાનની વાત કરીએ તો તે આ પોલીસ કસ્ટડીમાં છે. આગલા દિવસે પોલીસે શીઝાનને વસઈ કોર્ટમાં રજૂ કર્યો હતો, જે બાદ કોર્ટે શીઝાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. શીજાન 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.

Gujarat Election/‘ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે’, અમિત શાહની ઐતિહાસિક જીત પર ગર્જના