છત્તીસગઢમાં નક્સલી હુમલાના સમાચાર આવી રહ્યા છે આ હુમલો નારાયણપુરમાં થયો હતો, જેમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના બે જવાનો શહીદ થયા હતા.આ વિસ્તારમાં અવાર વાર નકસલી હુમલા થતાં રહે છે .આઈજી પી સુંદરરાજે કહ્યું કે નારાયણપુર જિલ્લામાં આઈટીબીપી કેમ્પ કાડેમેટા પાસે નક્સલવાદી હુમલામાં આઈટીબીપી (ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ) ના બે જવાનો શહીદ થયા હતા. નક્સલવાદીઓ એક AK-47 રાઇફલ, બે બુલેટ પ્રૂફ જેકેટ અને વાયરલેસ સેટ લૂંટીને સ્થળ પરથી ભાગી ગયા હતા.
Two ITBP (Indo-Tibetan Border Police) jawans killed in a naxal attack near ITBP Camp Kademeta, in Narayanpur district. The naxals fled from the spot after looting one AK-47 rifle, two bullet proof jackets and one wireless set: IG Bastar P Sundarraj
(File photo)#Chhattisgarh pic.twitter.com/jQDnfdzi8S
— ANI (@ANI) August 20, 2021
રવિવારે કુઆકોંડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ બડેગુદ્રા અને આટેપાલ ગામ માટે રવાના થઈ હતી. ત્રણ શકમંદો એટેપાલ ગામ નજીક ભાગવા લાગ્યા હતા પોલીસે ઘેરાબંધી કરીને તેમને પકડી પાડયા હતા પૂછપરછ દરમિયાન, તેઓએ તેમના નામ હંગા કર્તમ, આયતા માડવી અને લાઠી કર્તમ તરીકે તેમની ઓફખ થઇ છે.
ઉલ્લેખનીય છે કે કે ગયા મહિને સુકમામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં એક માઓવાદી માર્યો ગયો હતો. રાયપુરથી લગભગ 400 કિલોમીટર દૂર ચિન્તાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિન્પા ગામ નજીકના જંગલમાં વહેલી સવારે એન્કાઉન્ટર થયું હતું, જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન પર હતી.