કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પુણેમાં એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે ભારતમાં રહેનારાઓને જ ભારત માતા ની જય બોલશે. ધર્મેન્દ્ર પ્રધાને ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ની મહારાષ્ટ્ર રાજ્ય વાર્ષિક સંમેલન દરમિયાન આ વાત કરી હતી. આ સંમેલન પુણેમાં 28 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલશે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝનું બલિદાન વ્યર્થ જશે? શું લોકો સ્વતંત્રતા માટે લડ્યા જેથી આઝાદીના 70 વર્ષ બાદ દેશ વિચાર કરશે કે નાગરિકત્વ ગણાશે કે નહીં? શું આપણે આ દેશને ધર્મશાળા બનાવીશું?
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું- “શું આપણે દેશને ધર્મશાળા બનાવીશું?” શું કોઈ પણ આવીને આપણા દેશમાં રહેવાનું શરૂ કરશે? આપણે આ પડકારને સ્વીકારવો પડશે અને એક જ વિચાર પર સ્પષ્ટ રહેવું પડશે. જે ભારત માતાની જય બોલશે તે જ ભારતમાં રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.