કેદારનાથ સહિત હિમાલયના પહાડોમાં બરફ વરસાદ થવાને લીધે આખા જીલ્લામાં ઠંડી વધી ગઈ છે. કેદારનાથમાં બરફ વર્ષા થઇ છે. યાત્રીઓ બરફ વર્ષાના દ્રશ્યો જોઇને ખુશ થઇ ગયા હતા.
તમને જણાવી દઈએ કે કેદારનાથમાં બે ઇંચ જેટલો બરફ જમા થઇ ગયો છે.
છેલ્લા બે દિવસથી વાતાવરણ બદલાતા ઠંડી વધી ગઈ છે. મંગળવારે કેદારનાથમાં બપોરથી સાંજ સુધી બરફ વર્ષા થઇ હતી જેને લીધે બરફની ચાદર છવાઈ ગઈ હતી.
ભલે ઠંડી વધી ગઈ હોય પણ બરફ વર્ષાને પગલે કેદારનાથમાં સુંદર દ્રશ્યો સર્જાયા છે.