વડોદરા,
વડોદરાના મંગળ બજારમાં આગ લાગી હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. મુનશીના ખાંચામાં આવેલા સત્યભાવા કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં આ આગ લાગી હતી.
આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જેમાં બે લોકોની જિંદગી હોમાઇ ગઇ હતી આ બન્ને લોકોને સારવાર માટે લઇ જવાય તે પહેલા આ બન્નેની જીવનરેખા કપાઇ ગઇ હતી. હાલ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ પાંચથી દસ ગોડાઉનો અને સંખ્યાબંધ દુકાનો આગમાં ભસ્મીભૂત થઈ જતા લાખોનું નુકસાન થયું છે. અધિકારીએ જણાવ્યું હતું કે એફએસએલ તપાસ થયા પછી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવશે.
આ બનાવમાં બીજા માળે સુઈ રહેલી બે વ્યક્તિ બહાર નીકળી શકી ન હતી. આ બંને જણા આગમાં લપેટાઇ જતાં મોત નીપજ્યું હતું. એવું પણ કહેવાઇ રહ્યું છે કે ધૂમાડાને કારણે આ બે વ્યક્તિઓને ગૂંગળામળ થતા મોત નીપજ્યાં છે.
જેથી આ લોકોના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. આગ લાગી હોવાની ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.