વડોદરા
પોલિસની નોકરીમાં કેટલો તણાવ હોય છે તે આજે બનેલાં કમકમાટીભર્યા બનાવ પરથી ખ્યાલ આવે છે.વડોદરામાં પોલિસ ખાતામાં નોકરી કરતાં સબ ઇન્સપેક્ટરે આપઘાત કરી લીધો છે.વડોદરાના સયાજીગંજ પોલિસ સ્ટેશનમાં નોકરી કરતાં પીએસઆઇ એસ એસ જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
આ આપઘાતમાં ચોંકાવનારી વાત એ છે કે આપઘાત કરતાં પહેલાં પીએસઆઇ જાડેજાએ સ્યુસાઇડ નોટ લખી છે તેમાં લખ્યું છે કે PSI ની નોકરી મારાથી થાય તેમ નથી મને માફ કરજો.
પીએસઆઇએ આપઘાત કરતાં વડોદરાના પોલિસ સર્કલમાં દોડધામ થઇ હતી.ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એવું પણ જાણવા મળ્યું છે કે પીએસઆઇની તાજેતરમાં ડેપ્યુટેશન પર બદલી થઇ હતી.આપઘાત કરી લેનાર પીએસઆઈની ચાર દિવસ પહેલા જ એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી. આ અંગેનો આદેશ વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે કર્યો હતો. પીએસઆઈને તાત્કાલિક ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.