ઝઘડીયા તાલુકાના સારસા ગામે પટેલ ફળિયામાં રહેતી કાંતાબેન જયંતીભાઇ પટેલ નામની ૮૫ વર્ષીય વૃધ્ધ મહિલા પર એક વાંદરે હુમલો કરતા મહિલાને મોટી ઇજાઓ થઇ હતી.ઘરના વાડામાં ઘુસી આવેલા આ વાંદરે હુમલો કરતા કાંતાબેન નીચે પડી ગયા હતા.વાંદરે હુમલો કરીને તેમના હાથની આંગળી કરડી ખાધી હતી.તેમજ પગનો ભાગ ફાડી નાંખ્યો હતો.ઇજાગ્રસ્ત મહિલાને અંકલેશ્વર દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.
રાષ્ટ્રવાદ / કોમી સાંપ્રદાયિકતાને ખલેલ પહોંચાડવા કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં,ઓવૈસી પર નિશાન સાધતા MP ગૃહમંત્રી
સારસામાં લાંબા સમયથી વાંદરો મોટી સંખ્યામાં વસી રહ્યા છે. અવારનવાર વાંદરો દ્વારા માણસો પર હુમલા કરવાની ઘટનાઓ બનતી હોય છે.સારસામાં હાલ વાનરોની સંખ્યા ખુબ મોટી હોવાની વાતો જાણવા મળી છે.
વિવાદ / રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે જંગમ મિલ્કતોના બટવારા મામલે વિવાદ
કાંતાબેન પર હુમલો કરનાર વાનર ખુબ મોટો વાનર હતો.સારસાની આ મહિલા પર વાનરે હુમલો કરતા ગામલોકો ભયભીત બન્યા હતા.
પરંતુ આ ઘટનાની જાણ વનવિભાગને થતા વન વિભાગનો સારસા ગામે ધસી આવી વાનરરાજને પકડવા માટે પાંજરા ગોઠવી પકડવાની જહેમત ઉઠાવી હતી.મહામુસીબતે વાનરરાજ પાંજરે પુરાતા વનવિભાગ દ્રારા હાશકારો અનુભવ્યો હતો.
‘લોકકલા ત્રિવેણી’ કાર્યક્રમ / નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા