નોઇડા,
રાજધાની દિલ્લી નજીક આવેલા નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની બનવા જઈ રહી છે. સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ દ્વારા આ મોબાઈલ કંપનીની શરૂઆત કરાવવા જઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન આ મોબાઈલ કંપનીની શરૂઆત કરવા માટે નોઇડા પહોચ્યા છે.
નોઇડા પહોચવા માટે પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂને મેટ્રોની સફર માની હતી અને સેમસંગના આ પ્લાન્ટમાં પહોચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જૂન મહિનામાં દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગ દ્વારા નોઈડામાં પોતાના પ્લાન્ટને વિસ્તૃત કરવા માટે ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે એક વર્ષ બાદ કંપની પોતાનું ઉત્પાદન બે ગણું કરવા જઈ રહી છે.
ભારતમાં સેમસંગ અત્યારસુધી ૬.૭ કરોડ સ્માર્ટફોન બનાવી રહી હતી, જો કે હવે આ નવો પ્લાન્ટ શરુ થયા બાદ અંદાજે ૧૨ કરોડ મોબાઈલનું ઉત્પાદન થવાની સંભાવના છે.
આ નવો પ્લાન્ટ શરુ થવાની સાથે મોબાઈલની સાથે સાથે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકારનો જેવા કે રેફ્રિજરેટર અને ફ્લેટ પેનલવાળા ટેલિવિઝનનું ઉત્પાદન પણ બેગણું થઈ જશે.