સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. હાલમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં વેચાતું પાણી લેવા સોસાયટીના રહીશો મજબુર બન્યા છે.
સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. જેમાં ટોળા સાથે આવેલી મહિલાઓએ સુરેન્દ્રનગર નગરપાલિકાના એન્જિનિયર સહિતના સત્તાધીશોને ઉગ્ર રજુઆત કરી હતી.
જેમાં સોસાયટીમાં પાણીની પાઇપલાઇનમા પાણી ન આવતું હોવાની રાવ સાથે ફરીયાદ કરવામાં આવી હતી. હાલમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં વેચાતું પાણી લેવા સોસાયટીના રહીશો મજબુર બન્યા છે.
આથી રોસે ભરાયેલી મહિલાઓએ આ વિકટ સમસ્યા બાબતે તાત્કાલિક પાણી સમસ્યાનો હલ લાવવા આહવાન કર્યું હતુ. ત્યારે સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત સાથે હલ્લાબોલ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.