યુકેના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર COP-26 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત વર્ષ 2070માં નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ સમજૂતીની ભાવનાને “શાબ્દિક રીતે” લાગુ કરી રહ્યો છે. પીએમ મોદીની આ જાહેરાત પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ઝાટકણી કાઢી છે.
મોદીજી, તેઓ 2014 થી રાજકારણમાં જે CO2 છોડી રહ્યા છે તેનું શું? કપિલ સિબ્બલનો પીએમને સવાલ
COP26 Glasgow Summit
Modi ji’s commitment :
Net zero ( carbon dioxide) emissions by 2070
But what about carbon dioxide emissions in politics since 2014 ?
Please commit to make them ‘ net zero ‘.
— Kapil Sibal (@KapilSibal) November 2, 2021
રાજકારણમાં CO2 વિશે શું?
મંગળવારે સવારે એક ટ્વીટમાં સિબ્બલે કહ્યું, “મોદીજી દાવો કરે છે કે 2070 સુધીમાં અમે નેટ ઝીરો એમિશન કરીશું. પરંતુ 2014 થી રાજકારણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવી રહ્યું છે તેનું શું? તેને પણ ચોખ્ખુ કરવાનું વચન આપો.