નવી દિલ્હી,
કોંગ્રેસ મહાસચિવ પ્રિંયકા ગાંધીએ અક્ષય કુમાર સાથે પીએમ મોદીનાં ઇંટરવ્યૂ બાદ નિશાનો સાધ્યો છે. લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસનાં ઉમેદવાર રાકેશ સચાનનાં સમર્થનમાં એક ચુંટણી સભાને સંબોધતા પીએમ મોદી પર શાંબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, પીએમ હંમેશા વિદેશોમાં જોવા મળે છે અને મોટા અભિનેતાઓ પાસેથી ઇંટરવ્યૂ પણ કરાવે છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, પીએમ મોદી જનતાને સમજતા નથી. જ્યારે નેતાએ તો જનતાની વાતને સમજવી જ જોઇએ. જેના માટે ખાસ જરૂરી છે કે નેતા જનતાની વચ્ચે જાય. પરંતુ પીએમ મોદી હંમેશા વિદેશોમાં જ જોવા મળે છે. પ્રિયંકાએ વધુમાં કહ્યુ કે, બીજેપી માત્ર પ્રચાર કરવાનુ જ જાણે છે તે આજે પ્રચારની જ રાજનીતિ કરી રહી છે. બીજેપીનાં નેતાઓનાં 50 ભાષણ માત્ર મારી પરીવારને લઇને જ હોય છે. આજે એક એવો સમય આવી ગયો છે કે જનતા માટે નીતિઓ બનવાની જગ્યાએ ઉદ્યોગપતિઓ માટે નીતિને ગઢવામાં આવે છે.