અચાનક પૈસાની જરૂર હોય ત્યારે આપણે બેંકમાં નહી પણ ATM માં જઇને પૈસા નિકાળવાનું પસંદ કરીએ છીએ પરંતુ જો તેામથી નકલી અથવા ફાટેલા પૈસા નિકળે તો? આવુ ઘણા લોકો સાથે થયુ હશે, પરંતુ તમારે આ અંગે ચિતા કરવાની જરૂર નથી. તમે માત્ર એક કામ કરીને તમારી પાસે રહેલી નોટને બદલી શકો છો.
આ પણ વાંચો – બાળકી ને માતા-પિતાની હૂંફ મળી.. / સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ના ઉટડી રોડ ઉપર થી તાજી જન્મેલી બાળક ને માતાએ ત્યજી દીધી
ATM માંથી ઘણીવાર ફાટેલી કે ગંદી નોટો બહાર આવે છે. આવી નોટો હાથમાં આવતા જ લોકો પરેશાન થઈ જાય છે. તેઓ વિચારે છે કે હવે આ નોટનું શું કરવું? કારણ કે ઓપન માર્કેટમાં તેને કોઈ લેશે નહીં. ATMમાંથી ફાટેલી નોટો ઉપાડી લીધા પછી ગભરાવાની જરૂર નથી. તમે આવી નોટ સરળતાથી બદલી શકો છો. ફાટેલી નોટને ATM માંથી જે બેંક સાથે ATM લિંક કરેલ છે ત્યાં લઈ જાઓ. ATM કઈ બ્રાન્ચમાંથી લિંક છે, ATM માં અથવા ATM ની અંદર જ હાજર ગાર્ડ પાસેથી તમને બ્રાન્ચનું નામ અને નંબર વિશેની માહિતી મળશે. તમારે ATM લિંક્ડ બ્રાન્ચમાં જઈને અરજી લખવી પડશે. જેમાં તમારે તે જગ્યાની તારીખ, સમય, નામ જણાવવાનું રહેશે જ્યાંથી તમે પૈસા ઉપાડ્યા છે. અરજીની સાથે ATM માંથી કાઢવામાં આવેલી સ્લિપની નકલ પણ જોડવાની રહેશે. જો સ્લિપ બહાર ન આવી હોય, તો તમારે મોબાઇલ પર આવેલા ટ્રાન્ઝેક્શનની વિગતોની માહિતી આપવી પડશે. જેવી તમે બેંકને તમામ વિગતો આપો છો, તમને તુરંત જ બદલામાં નવી નોટો મળી જશે. RBI નાં નિયમમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જો ATM માંથી કોઈ છેડછાડ થાય છે, તો બેંક તેને બદલવાની ના પાડી શકે નહીં. જો બેંક તેનો ઇનકાર કરે તો તેની સામે દંડની જોગવાઈ પણ છે. જુલાઈ 2016માં RBI એ એક પરિપત્રમાં કહ્યું હતું કે જો બેંકો ખરાબ નોટો બદલવાનો ઇનકાર કરશે તો તેમને 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને આ તમામ બેંકોની તમામ શાખાઓને લાગુ પડશે.
આ પણ વાંચો – સંકટનાં વાદળ / ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો, લંડનનો બંગલો ખાલી કરવાનો કોર્ટે આપ્યો આદેશ
RBI નાં મતે ATM માંથી ખરાબ કે નકલી નોટો આવવા માટે માત્ર બેંક જ જવાબદાર છે. ATM માં નોટો મૂકનાર એજન્સી પણ નથી. જો નોટમાં કોઈ ખામી હોય તો બેંક કર્મચારી દ્વારા તેની તપાસ કરાવવી જોઈએ. જો નોટ પર સીરીયલ નંબર, ગાંધીજીનું વોટરમાર્ક અને ગવર્નરનું શપથ દેખાય તો બેંકે નોટ બદલવી પડશે. જો કે, કેટલીક પરિસ્થિતિઓમાં નોટ બદલી શકાતી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં નિયમો અનુસાર, ખરાબ રીતે બળી ગયેલા, ફાટેલા ટુકડાનાં કિસ્સામાં નોટો બદલી શકાતી નથી. આવી નોટો RBI ની ઈશ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે.