જામનગર ખાતે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં વ્યક્તિ પાસેથી એક કાર બુક કરવામાં આવી હતી. સમય અનુસાર કાર જેતે વ્યક્તિને ત્યાં ડ્રાઈવર લઈને પહોચ્યો હતો. પરંતુ કાર બુક કરાવવા વાળાના ઈરાદા મલીન હતા. તેમને કરના ડ્રાઈવરને માર મારી કારની ડેકીમાં ગોંધી રાખ્યો હતો. અને કારણી લુંટ ચલાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જાડેજા વિશ્વરાજસિંહ નામના શખ્સે કાર રેન્ટ પર આપતા વ્યક્તિ પાસે કાર બુક કરાવી હતી. અને ત્યારબાદ કાર ચાલકનું અપહરણ કરી કારની લૂંટ કરી હતી.
જામનગરના નાની લાખાણી ગામ નજીક ડ્રાઇવરનું અપહરણ કર્યું હતું. ટ્રાવેલિંગ માટે કાર બુક કરી ડ્રાઇવરને માર મારી કારની ડેકીમાં ગોંધી રખાયો હતો.
આગળ જતા ડ્રાઇવરને રસ્તા પર ફેંકી દીધો હતો અને ત્યારબાદ કારને પણ લાવારિસ હાલતમાં છોડી દેવાઈ હતી. આ અંગે કાર માલિકે જાડેજા વિશ્વરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન