ઉત્તરપ્રદેશનાં ચીફ મીનીસ્ટર યોગી આદિત્યનાથે એમનાં મીનીસ્ટરોને સુચના આપી છે કે તેઓ વિદેશ ટ્રીપને આવતાં છ મહિના સુધી નજરઅંદાજ કરે જ્યાં સુધી લોકસભા ચુંટણી સમાપ્ત ન થઇ જાય.
આ નિર્ણય આદિત્યનાથની હાલની ગોરખપુરમાં નવરાત્રી પૂજા માટે કરાયેલી વિઝીટમાં લેવાયો હતો. એમણે એવું પણ સૂચવ્યું હતું કે બધાં એમપી અને સીનીયર લીડર્સ એમનાં વિસ્તારમાં વધુ સમય વિતાવે જેથી ત્યાના રેહેવાસીઓ પાસેથી સરખો ફીડબેક મેળવી શકાય.
આ કાર્યની શરૂઆત ખુદ સીએમ કરશે. તેઓ ગામડાઓમાં જઈને ત્યાં લોકોનો મૂડ કેવો છે એ જાણવાની કોશિશ કરશે અને જાણશે કે નાગરિકો કઈ રીતે સરકારની સ્કીમ્સને રીસ્પોન્સ આપી રહ્યા છે.
આદિત્યનાથે એમનાં સહકર્મચારીઓને મેસેજ આપ્યો હતો કે, ફોકસ રહો. તમારુ સર્વસ્વ આપો ચુંટણીમાં પાર્ટીનાં પરફોર્મન્સમાં.
લોકસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ – તેમ રાજ્ય સરકાર બહુમતીથી જીતવા માટે અને પાર્ટીનું પ્રદર્શન સારું રાખવા માટે બને એટલાં પગલાં લઇ રહી છે.