કચ્છનાં વિશ્વ પ્રસિદ્ધ કંડલા પોર્ટના યુનિયન લીડરનું કોરોનાથી મોત થયાનાં આઘાત જનક સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, કંડલા પોર્ટના મજદૂર યુનિયન લીડર મનહર બેલાણીનું કોરોનાથી મોત, બેલાણીને ગઇકાલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાંજે જ તેમનું મોત નીપજ્યાની વિગતો વિદિત છે.
સૌથી વધુ અને ચિંતા જનક વિગત તો એ છે કે, મજદૂર યુનિયનનાં લીડર હોવાનાં કારણે મનહર બેલાણી આ દિવસોમાં અંદાજીત 300 થી વધુ લોકોના સંપર્ક આવ્યા હોવાની ચર્ચા પણ થઇ રહી છે. એવી પણ વાતો ચર્ચામાં છે કે, મજદૂર યુનિયન લીડર મનહર બેલાણી કેટલાક પત્રકારોનાં પણ સંપર્કમાં આવ્યા હતા.
જો કે, હાલ તંત્ર આ મામલે તપાસ કરી રહ્યું છે અને બેલાણી સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી જરુરી હોય તેવા તમામ લોકોને કોરેન્ટાઇન કરવાની તજવીજ હાથધરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….