રાજકોટમાં આજીડેમ પાસે ઓવરબ્રિજની દીવાલ ધરસાઈ થતા બેનાં મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટ – ગોંડલ નેશનલ હાઇવે NH-8 પર આજીડેમ ચોકડી પર શહેર તરફથી આવતા અને આજી ડેમ જવાનાં રસ્તા પર બનાવેલા એવર બ્રીજનીં ઉંચી અને સાઇડ માં રોડને સપોર્ટ કરતી દિવાલ અચાનક જ વરસાદનાં કારણે ધરાસાઇ થઇ હોવાનું સામે આવ્યું હતું. અત્યંત ટ્રાફિકવાળો વિસ્તાર હોવાનાં કારણે દિવાલ ધરાસાઇ થવા સમયે બે લોકો દિવાલ નીચે દબાઇ જતા મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક રેસ્ક્યુનું કાર્ય કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….