કોરના ના કહેર વચ્ચે રાજકોટ ભાજપમાં ભંગાણ જોવા મળ્યું છે. રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપના નેતા રાજભા ઝાલા સહિત 21 લોકો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં ઝોડાયા છે. ગુજરાત આપના પ્રભારી અને દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલરાયની વીડિયો કોંફોરન્સથી ઉપસ્થિતિમાં રાજભા ઝાલા સહીત 21 લોકોએ આમ આદમી પાર્ટીનું ઝાડુ હાથમાં લીધું છે.
રાજભા ઝાલાની સાથે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન શિવલાલ બારસિયા, રાજકોટ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નૈમિશ પાટડીયા સહિત 21 લોકો જોડાયા આપમાં વિધિવત રીતે જોડાતા સુરાષ્ટ્રના રાજકારણ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં આપની જીત બાદ રાજકોટમાં આપનું સંગઠન મજબૂત બનાવવા આપની કવાયત તેજ બનાવામાં આવી છે. લોકડાઉન પહેલા આપની એક મિટિંગ થઇ હતી જેમાં આ તમામ લોકો આપમાં જોડાવવા નક્કી થયું હતું. લોકડાઉનના સમય દરમિયાન કોઇ પણ લોકો એકઠા ન થઇ શકે માટે ગઇકાલે રાત્રે વીડિયો કોંફોરન્સથી આ 21 લોકો આપમાં જોડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન.