સુરત શહેર માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચેતીને ચાલજો સુરતીલાલાઓ કારણ… કારણ કે, સુરતમાંથી ચિંતા સર્જક વિગતો સામે આવી રહી છે અન તે છે…સુરતમાં બાળકો અને તરૂણોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બાળકો અને તરુણોમાં પ્રમાણ કરતા કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર ચિંતામાં આવી ગયાનું જવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે 0 થી 11 વર્ષના બાળકોમાં કોરોનાનું સંક્રમણ 3.7 ટકા નોંધવામાં આવ્યું છે. જ્યારે 11 થી 20 વર્ષનાં તરુણોમાં કોરોનાનું સંક્રમણ 10.4 ટકા નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધી સુરતમાં બાળકો અને તરૂણોમાં કોરોના સંક્રમણ અનુક્રમે 1.42 ટકા અને 4.63 ટકા હતું. સર્વેનાં તારણો પ્રમાણે સુરત શહેરમાં ફક્ત છેલ્લા 10 દિવસમાં સંક્રમણને રેશિયો અધધધ વધ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
છેલ્લા 10 દિવસમાં જે રીતે કોરોનાં સંક્રમણનાં આંકડામાં અને ખાસ કરીને બોળકો અને તરુણો કોરોનાનાં સંક્રમણનાં વધતા રેશિયોનાં કારણે હવે સ્થિતિ એવી ઉભી થઇ હોવાનું જોવામાં આવી રહ્યું છે કે જૂની સ્ટ્રેટેજી આ સંજોગોમાં બીલકુલ કારતગ નથી અને માટે જ તંત્રએ બાળકો અને તરુણો માટે નવી સ્ટ્રેટેજી બનાવવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….