દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જી હા, અનેક વિરોધ વચ્ચે આગામી 25 જૂનથી પરીક્ષા શરૂ થશે. દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલજોમાં 25 જૂનથી પરીક્ષા શરુ થશે. આપને જણાવી દઇએ કે, વિરોધ વચ્ચે યુનિ.એ નવો પરિપત્ર જાહેર કર્યો છે. જો કે, કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હોવાની પણ માહિતી આપી છે. આવા તમામ વિદ્યાર્થી પોતાનાં નજીકના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….