indonesia/ માઉન્ટ મેરાપી જ્વાળામુખી વિસ્ફોટ, 11 પર્વતારોહકોના મોત

બચાવ અધિકારીઓનું કહેવું છે કે જ્વાળામુખી પાસે ત્રણ પર્વતારોહકો જીવિત મળી આવ્યા છે અને કેટલાય પર્વતારોહકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.

Top Stories World
WhatsApp Image 2023 12 04 at 11.09.32 AM માઉન્ટ મેરાપી જ્વાળામુખી વિસ્ફોટ, 11 પર્વતારોહકોના મોત

ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી વિસ્ફોટમાં 11 પર્વતારોહકોના મોત થયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓનું કહેવું છે કે જ્વાળામુખી પાસે ત્રણ પર્વતારોહકો જીવિત મળી આવ્યા છે અને કેટલાય પર્વતારોહકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.

સાવચેતીના ભાગરૂપે આસપાસના ગામોને ખાલી કરાવ્યાં

પેદાંગ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના વડા અબ્દુલ મલિકે જણાવ્યું હતું કે, તેમને ત્રણ લોકો જીવિત અને 11 મૃતદેહો મળ્યા છે. તેમણે કહ્યું કે શનિવારે ઘટનાના દિવસે કુલ 75 પર્વતારોહકો મેરાપી પર્વત પર હતા. જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખ ફેલાઈ છે. જેના કારણે પર્વતારોહકો લાપતા છે અને આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે. અહેવાલો અનુસાર, જ્વાળામુખી વિસ્ફોટના સ્થળની નજીક પર્વત પર ચઢવાના બે માર્ગો છે, જે હવે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ જ્વાળામુખીના મુખથી 3 કિલોમીટર દૂર ઢોળાવ પર આવેલા ગામોને સાવચેતીના પગલારૂપે ખાલી કરાવવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા બહાર આવવાની આશંકા છે.

મેરાપી પર્વત પર હજુ પણ ઘણા પર્વતારોહકો ગુમ છે, જેમની શોધ ચાલી રહી છે. જ્વાળામુખી ફાટ્યા બાદ જ્વાળામુખીની રાખ 3000 મીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે. વહીવટીતંત્રે લોકોને સાવચેતી તરીકે ગોગલ્સ પહેરવાની સલાહ આપી છે જેથી તેમની આંખો જ્વાળામુખીની રાખથી સુરક્ષિત રહી શકે. માઉન્ટ મેરાપી જ્વાળામુખી જાન્યુઆરીથી સક્રિય છે. જો કે હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. ઈન્ડોનેશિયામાં કુલ 120 સક્રિય જ્વાળામુખી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: