રાજકીય/ સ્વ. MLA અનિલ જોશીયારાના પુત્ર કેવલ સહિત 1500 કાર્યકરો ભાજપમાં જોડાયાં

હવે કોંગ્રેસના સ્વર્ગસ્થ ધારાસભ્ય અનિલ જોશીયારાના પુત્ર આજે કેસરિયો ધારણ કરી રાજકારણમાં પોતાની કેરિયરના શ્રીગણેશ કર્યા છે. અનિલ જોશીયારા જેવા દિગ્ગજ નેતાના પુત્ર ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે.

Top Stories Gujarat
Untitled 20 6 સ્વ. MLA અનિલ જોશીયારાના પુત્ર કેવલ સહિત 1500 કાર્યકરો ભાજપમાં જોડાયાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી રાજ્યના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ અત્યારથી જ ચૂંટણીના એક્શન પ્લાનમાં વ્યસ્ત છે. ત્યારે રાજ્યમાં આદિવાસી બેઠકો પર કબજો જમાવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કરી દીધા છે. જે અંતર્ગત આજે અરવલ્લીના ભિલોડામાં ભાજપમાં ભરતી મેળો યોજાયો. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કેવલ જોશીયારા સહિત 1,500 કાર્યકરો ભાજપનો ભગવો ખેસ ધારણ કરી પક્ષમાં જોડાયાં

કેવલ જોશીયારાએ ભાજપનો ખેસ ધારણ કરીને જણાવ્યું કે- “આદિજાતિ સમાજમાંથી આવતા મારા પિતા સર્જન હતા. લોકોની સેવા કરી અને ધારાસભ્ય બન્યા હતા. મંત્રી બનીને પણ લોકોની સેવા કરી. હું મારા પિતાના માર્ગે ચાલીને લોકોની સેવા કરીશ. ભાજપમાં જોડાઈને મેઘરજ, ભિલોડાની જનતાની સેવા કરીશ. મારા પિતાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરીશ. પક્ષના આગેવાનો, વડીલોને અપીલ છે કે દુધમાં સાકાર ભળે તે રીતે પક્ષમાં ભળી જઈશ.”

કોંગ્રેસને ગઢમાં જ ઝાટકો
હાર્દિક પટેલે હાલમાં જ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે, ત્યારે હવે કોંગ્રેસના સ્વર્ગસ્થ ધારાસભ્ય અનિલ જોશીયારાના પુત્ર આજે કેસરિયો ધારણ કરી રાજકારણમાં પોતાની કેરિયરના શ્રીગણેશ કર્યા છે. અનિલ જોશીયારા જેવા દિગ્ગજ નેતાના પુત્ર ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે.

ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જોશીયારા ભિલોડાથી સતત 5 ટર્મથી ચૂંટણી જીતતા હતા. જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે. જે અંતર્ગત તેમના દીકરા કેવલ જોશીયારાને પોતાની પાર્ટીમાં જોડી રહ્યું છે.

કોણ છે કેવલ જોશીયારા?
કેવલ જોષિયારાએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યાર સુધી તેઓ રાજકારણથી દૂર હતા. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાઈને રાજનીતિની નવી શરૂઆત કરી છે. કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય સ્વર્ગસ્થ અનિલ જોશીયારા 5 વખત વિધાનસભા બેઠક જીતી ચૂક્યા છે. તેઓ સૌથી પહેલા 1995માં ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ 1996માં મંત્રી પણ બન્યા હતા. બાદમાં 2002થી તેઓ સતત ચાર વખત કોંગ્રેસમાંથી જીત્યા હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપામાં જોડાયા હતા. જો કે રાજપામાંથી તેઓ ચૂંટણી હારી ગયા હતા, જે બાદ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. બાદમાં 2002થી તેઓ સતત કોંગ્રેસમાંથી ચૂંટાતા આવતા હતા.

logo mobile