ચીન માટે 22 જાન્યુઆરીના દિવસ વધુ દુઃખદ બન્યો છે. આજે સવારે ચીનમાં ભૂસ્ખલનની ઘટનાને પગલે પાયમાલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂસ્ખલન થવાના કારણે 500 થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા, જેમાં 47 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. લેન્ડ સ્લાઈડ બાદ તબાહીના દ્રશ્યનો વીડિયો એક્સ હેન્ડલ પર વાયરલ થઈ રહ્યો છે.
ચીનની ઝિન્હુઆ ન્યૂઝ ચેનલ અનુસાર, આજે 22 જાન્યુઆરીએ સવારે લગભગ 5:51 વાગ્યે, દક્ષિણ ચીનના જેનક્સિઓંગ કાઉન્ટીના તાંગફાંગ શહેર હેઠળના લિયાંગશુઈ ગામમાં ભૂસ્ખલન થયું હતું. આખું ગામ તેના કાટમાળ નીચે દટાઈ ગયું હતું. લેન્ડ સ્લાઇડના સમાચાર ફેલાતાની સાથે જ બચાવ દળના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલમાં લગભગ 200 બચાવકર્મીઓ અને ફાયર બ્રિગેડના વાહનો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.
એક મીડિયા સમાચાર મુજબ ચીનના દક્ષિણ-પશ્ચિમ યુનાન પ્રાંતમાં ભૂસ્ખલન સામાન્ય છે કારણ કે અહીંના ઢાળવાળા પર્વતો હિમાલયની તળેટી સાથે અથડાય છે, અને દરેક વખતે તે વિનાશનું કારણ બને છે. દુર્ઘટના થવાના કારણે દરેક વખતે લોકો માર્યા જાય છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે કાટમાળ નીચે કેટલા લોકો દટાયા છે, પરંતુ હાલમાં થયેલ ભૂસ્ખલન બાદ ગામના લોકો દેખાતા નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટામાં, નારંગી જમ્પસૂટ અને હેલ્મેટ પહેરેલા કટોકટી બચાવ કાર્યકરો ઊંચા બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે તૂટી પડેલા ચણતરના ઢગલા ઉપાડતા જોઈ શકાય છે.
આ પણ વાંચો:Ayodhya Ram Temple LIVE/ગર્ભગૃહમાં બિરાજ્યા રામલલ્લા, પ્રાણ પ્રતિષ્ઠાની દિવ્ય વિધિ પૂર્ણ,PM મોદીએ કરી પ્રથમ આરતી
આ પણ વાંચો:Rammandir Pran Pratishtha/રામ મંદિર અયોધ્યાઃ તમામ રેકોર્ડ તૂટ્યા, ઈતિહાસ રચાયો, છેલ્લા 24 કલાકમાં ગૂગલના ટ્રેન્ડમાં માત્ર રામ