અકસ્માત/ અંબાજી દર્શને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારતાં 3 લોકોનાં મોત

અંબાજી દર્શન જતા  પદયાત્રીઓને અજાણ્યા વાહને 5 લોકોને ટક્કર મારી હતી જેમાંથી 3 લોકોના મોત નિપજ્યાં છે. આ અકસ્માતની ઘટના રાણપુર પાસે બની હતી

Gujarat
ACCIDENT અંબાજી દર્શને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારતાં 3 લોકોનાં મોત

ગુજરાતમાં અકસ્માતોના બનાવોમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે ,લોકો બેફિકરાઇ ભર્યા રીતે ગાડી હંકારીને ટ્રાફિકના નિયમોને તોડી રહ્યા છે. ટ્રાફિક નિયમોને તોડતા અકસમાતની ઘટના બની રહી છે. અંબાજી નજીક અકસ્માત સર્જાતા 3 લોકોનાં મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.

અંબાજી દર્શન જતા  પદયાત્રીઓને અજાણ્યા વાહને 5 લોકોને ટક્કર મારી હતી જેમાંથી 3 લોકોના મોત નિપજ્યાં છે. આ અકસ્માતની ઘટના રાણપુર પાસે બની હતી એક અજાણ્યા વાહને પદયાત્રીઓને ટક્કર મારી હતી,જેમાં બે યુવક અને એખ યુવતીનું નોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાસકાંઠા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.