વિરોધ/ વડોદરામાં ઢોર નિયંત્રણ કાયદાને લઈ પડ્યા પડઘા, દૂધ શ્વાનને પીવડાવી કરાયો વિરોધ

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં વડોદરામાં પણ આજે છૂટક દૂધ વેચાણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે નહીં વિચાર દૂધ શ્વાનને પીવડાવી વિરોધ કરવામાં આવ્યો.

Gujarat Others
ઢોર નિયંત્રણ

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં વડોદરામાં પણ આજે છૂટક દૂધ વેચાણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે નહીં વિચાર દૂધ શ્વાનને પીવડાવી વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજ્ય સરકાર સામેના માલધારી સમાજના આંદોલનને એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હવે ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવા માટે માલધારી સમાજ પણ પોતાનું વેપાર નહીં કરી એટલે કે દૂધનું વેચાણ બંધ કરી અને સરકાર સામે વિરોધ નોંધાયો છે.

મહત્વનુ છે કે રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કડકાઇ થી ચાલતી હતી ત્યારે હવે દરેક અલગ અલગ શહેરના  ઢોર ડબ્બા પાર્ટી દ્વારા ઢોરવાડામાં બાંધેલા ઢોરને પકડી જવાની શરૂઆત કરાઈ ત્યારે માલધારી સમાજ એક થઈ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા હવે આજે સમગ્ર રાજ્યમાં દૂધ વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

સવાલ એ પણ છે કે રખડતા ઢોરના કારણે બનતા અકસ્માતોને ધ્યાનમાં રાખતા જ્યારે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી ત્યારબાદ રાજ્ય સરકાર પણ ઢોર નિયંત્રણ કાયદા અને રખડતા ઢોરના પ્રશ્નોને કાબુમાં લેવા માટે આગળ આવી છે ત્યારે બીજી તરફ આ કાયદો પરત લેવા માટે માલધારી સમાજ સરકાર સામે બાયો ચડાવી બેઠું છે ત્યારે હવે સરકારના નક્કી કરેલા કાયદા અને માલધારી સમાજની માંગણીઓમાં કોની જીત થાય છે તે જોવું મહત્વનું છે.

આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં અવસાન

આ પણ વાંચો:રાજુ શ્રીવાસ્તવની છેલ્લી પોસ્ટ, એડમિટ થયા પહેલા શેર કર્યો હતો આ વીડિયો

આ પણ વાંચો:ગુજરાત સરકારને રાહતનો શ્વાસ! માજી સૈનિકો અને એસટી કર્મચારીઓનો આંદોલન પૂર્ણ