અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જુહાપુરામાં અવાર નવાર મારમારી, જીવલેણ હુમલા, લૂંટ અને ચોરીની ઘટનાઓ એક પછી એક ખુબજ વધતી જ જઈ રહી છે જેના કારણે જુહાપુરાના સ્થાનિકો પોતાને અસલામત હોવાનું અનુભવી રહ્યા છે.
તાજેતરની જો વાત કરવામાં આવે તો જુહાપુરા ના રોયલ અકબર ટાવર પાસે આવેલી બોસ્તાન સોસાયટી ના મકાનમાં તસ્કરોએ ઓચિંતી મુલાકાત લીધી હતી. સાંજના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી અજાણ્યા ઈસમે ઘરના દરવાજાનો નકુચો તોડીને અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ઘરમાં તિજોરીને તોડીને અંદર રહેલા સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરીને અજાણી વ્યક્તિ પલાયન થઈ ગઈ હતી.
સાંજના સમયે જ્યારે ઘરના વડીલ સાબિર ભાઈ સૈયદ ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારે તેમણે ઘરના હાલને જોતા તેમણે તિજોરી ચેક કરતા તેમને ખ્યાલ આવ્યું હતું કે ઘરમાંથી સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ છે.તેથી તેમણે આ મામલે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.