![ભાજપમાં ટ્વીટર કેમ્પેઈન વચ્ચે અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પહોચ્યા CM હાઉસ, જાણો શું થઈ ચર્ચા 3 ea0ff3ce0834050f0fec68da6a7b220e ભાજપમાં ટ્વીટર કેમ્પેઈન વચ્ચે અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પહોચ્યા CM હાઉસ, જાણો શું થઈ ચર્ચા](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/05/ea0ff3ce0834050f0fec68da6a7b220e.png)
ગુજરાતમાં કોરોના વાઈરસના કહેર વચ્ચે રાજકીય ટ્વીટર યુદ્ધ પણ ચાલી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં કોરોનાના 14૦૦૦ થી વધુ કેસ નોધાઇ ચુક્યા છે. અને 888 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે અમદાવાદના પૂર્વ મ્યુ. કમિશ્નર વિજય નેહરા ટ્વીટર યુદ્ધ વચ્ચે CM હાઉસ મુખ્યમંત્રી રૂપાણીને મળવા પહોંચ્યા છે. આ બેઠકને લઈને હાલ જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે.
નોધનીય છે કે, વિજય નેહરાના વિરોધમા અને સપોર્ટમાં એમ બંને તરફથી સોશિયલ મીડિયામાં જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે. ભાજપના કેટલાક નેતાઓએ વિજય નેહરા વિરૂદ્ધ પોસ્ટ મૂકી હતી. ભાજપ આઇટી સેલ દ્વારા નેહરા વિરુદ્ધ ટ્વીટને લઇ વિવોદ શરૂ થયો છે. શક્ય છે કે, આ મામલે પણ CM અને વિજય નેહરા વચ્ચે વાતચીચત થઈ શકે છે.
નોધનીય છે કે, અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને હવે સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસ કમિશનર બનાવામાં આવ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કેસ મુદ્દે પણ વિજય નેહરા સીએમ રૂપાણી સાથે ચર્ચા કરી હકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.