![વ્યાજાતંક/ અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મહિલાએ ગટગટાવી ફિનાઈલ, અને પછી.... 3 4fc7980b05212e1e27f09071a0c05043 વ્યાજાતંક/ અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મહિલાએ ગટગટાવી ફિનાઈલ, અને પછી....](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/4fc7980b05212e1e27f09071a0c05043.png)
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે. આવામાં અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ મહિલા સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના શાહપુરમાં રહેતી મહિલાએ ભાવેશ દરજી નામના શખ્સ પાસેથી 26 હજાર વ્યાજે આપ્યા હતા. કોરોના લોડડાઉનના કારણે વ્યાજ ન ભરી શકતા ભાવેશ દરજીએ પેનલ્ટીનાં 80 હજાર રૂપિયા માંગ્યા હતા. એટલું જ નથી મહિલાના ઘરે જઈને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. જેથી મહિલાએ કંટાળીએ ફિનાઇલ પીને આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે હાલ શાહપુર પોલીસે ફરિયાદ નોંધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.