ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બાગી ધારાસભ્યો સામે લડાઈ લડવાની નેમ સાથે વિશ્વાસઘાત નામથી કેમ્પેઈન શરુ કર્યું છે. અમિત ચાવડાએ આ પેટા ચૂંટણી “વિશ્વાસધાત” ના મુદ્દે લડવાનો નિર્ધાર કર્યો છે. તેમને કહ્યું હતું કે, ગુજરાતીઓની એક જ વાત વિશ્વાસઘાતીઓને આપશે માત. આ નવા કેમ્પેઈન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ચાલુ કર્યું હતું.
તેમને આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને અને આદિવાસીઓને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા છે. સરકારે ખેડૂતોને આપેલા વચન પૂર્ણ કર્યા નથી. તેઓ વિશ્વાસઘાતની લાગણી અનુભવી રહ્યા છે. જેથી કોંગ્રેસે વિશ્વાસઘાત નામથી કેમ્પેઈન શરૂ કર્યુ. રૂપિયાથી ભાજપે ધારાસભ્ય ખરીદ્યા હોવાના આક્ષેપ સાથે તેમને જણાવ્યું હતું કે, સરકારે પ્રજા સાથે દ્રોહ કર્યો છે.
Kutch / માંડવીમાં પતિએ જ પત્ની અને પુત્રીઓની ઠંડાકલેજે કરી હત્યા…
surat: કલામંદિર જવેલર્સ, સોનું વેચવાના નામે મની લોન્ડરિંગનું કૌભાંડ આવ્યું સામે…