ભાવનગનાર ગારીયાધારમાં રોડ વચ્ચે આખલાઓ બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.પાલિતાણા જવાના માર્ગ પર બે આખલાઓ બાખડ્યા હતા.જેને લઈને પસાર થતા રાહદારીઓને થોડી વાર માટે અટકી જવું પડ્યું હતું.ગારીયાધાર નગર પાલિકા દ્વારા રખડતા ઢોરો પર જલ્દી અંકુશ મેળવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં નગરપાલિકાની અનેક વખત નબળાઈઓ સામે આવી છે.જેમાં મસ મોટા વાયદા કરતી નગરપાલિકા ધણખૂંટ ના આતંકના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. જેમાં હાલ ગારીયાધારથી પાલીતાણા જતા માર્ગ પર ઘણખૂંટ બાખડયા હતા. ત્યારે આ ઘણખૂંટ બાખડતા ની સાથે રોડના કિનારે ઉભેલા લોકોને નુકશાન પહોચાડ્યું હતું. ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. જો કે ઘણી વખત આ ઘણખૂંટના કારણે રાહદારીઓને શીંગ કે ઢીક મારે તો હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ આવી પડે છે. ત્યારે ક્યાંકને ક્યાંક આ બાબતે તંત્ર ઘોર નીંદરમાં સુતું હોઈ તેવું સ્પષ્ટ બતાઈ રહ્યું છે.
આ પણ વાંચો:હાઇકોર્ટની ટકોર બાદ રાજકોટ મનપા એલર્ટ, ફાયર ઓફિસર આયકાર ભવનની મુલાકાતે
આ પણ વાંચો:વડોદરામાં PM મોદીના આગમન પહેલાં વિવિધ કાર્યો લઈ આખરી ઓપ, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં ધો. 12માં નાપાસ થતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત