ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તે લગભગ અઢી વર્ષથી સદી ફટકારી શક્યો નથી. થોડા સમય પહેલા સુધી કોહલી કેટલાક મોટા સ્કોર પણ બનાવતો હતો, પરંતુ હવે હાલત એવી છે કે તે રન બનાવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે.કોહલીએ હાલ આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહ્યો છે,અનેક ટીકાકારોની ટીકા સહન કરી રહ્યો છે.આ અંગે આઝમે કરી દિલ જીતી લે તેવી પૌસ્ટ.કોહલી ઈજાના કારણે ઈંગ્લેન્ડના પ્રવાસ પર પ્રથમ વનડેમાં રમી શક્યો ન હતો, પરંતુ જ્યારે તેને બીજી વનડેમાં તક મળી ત્યારે તે ફરી એક વખત તે જ વાર્તાનું પુનરાવર્તન કરતો જોવા મળ્યો અને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો. કોહલીના આ ખરાબ તબક્કામાં ઘણા દિગ્ગજોએ તેને ટેકો આપ્યો તો કેટલાકે તેની ટીકા કરી અને સલાહ પણ આપી.
બાબર આઝમે કોહલી માટે પોસ્ટ શેર કરી
આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ સામે આવ્યો છે. તેણે કોહલી સાથેના તેના મજબૂત સંબંધો દર્શાવતી એક પોસ્ટ શેર કરી છે. બાબરે કોહલીને મજબૂત રહેવા કહ્યું. પાકિસ્તાની કેપ્ટને પોસ્ટ દ્વારા કોહલીને સમજાવ્યું કે ટેન્શન ન લો, આ ખરાબ તબક્કો જલ્દી પસાર થશે.બાબર આઝમે વિરાટ કોહલી સાથેનો પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટોમાં કોહલી પોતાના ખભા પર હાથ મૂકતો જોવા મળે છે. આ પોસ્ટ સાથે બાબર આઝમે કેપ્શનમાં લખ્યું- આ ખરાબ સમય છે,પસાર થઇ જશે, મજબુત રહો.
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022
ઉલ્લેખનીય છે કે લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી વનડે મેચ રમાઈ હતી. 247 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 146 રન બનાવી શકી અને 100 રનના માર્જીનથી મેચ હારી ગઈ. આ મેચમાં ઈજા બાદ પરત ફરી રહેલો વિરાટ કોહલી ફરી એકવાર નિસ્તેજ દેખાઈ રહ્યો હતો. તેણે 25 બોલનો સામનો કર્યો અને માત્ર 16 રન બનાવ્યા. આ દરમિયાન કોહલીએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.